કોટી કુલ પવૅત શ્રી ગિરીરાજ પેં બારિ ડારે,
બારોં કોટિ રત્નકોષ એક રત્ન સિલાપેં । ।
અથાત - શ્રી ગિરીરાજ ઉપર કરોડો પવૅતોની માળા ન્યોછાવર કરી દઈએ. તેમની એક-એક રત્નશિલા પર રત્નોના કરોડા ખજાના ન્યોછાવર કરીએ.
------------------------------------------------------------------------
ખટ ઋતુ વિલાસ, મહારાસ કંદરામેં સદા.
જુગલ વિહાર અષ્ટ પ્રહર રસ ઝુલા પે । ।
અથાત - તેમની કંદરા (ગુફા)માં હમેશાં છએ ઋતુઓ એક સાથે હોય છે ત્યાં શ્રી ઠાકોરજી નિત્ય મહારાસ કરે છે. શ્રી ઠાકોરજી અને શ્રીસ્વામિનીજી ત્યાં ચોવીસે કલાક વિહાર કરે છે અને રસથી ઝુલા ઝુલે છે....
-----------------------------------------------------------------------
ચાલો તો આપણે આ ગિરીકંદરા મા શ્રીઠાકોરજીને શોધવાનો પ્રયત્ન કરિએ.....