Saturday, September 20, 2008

શ્રીગિરીરાજજીના શ્રીઅંગમાં બિરાજતા તીથૅ

શ્રીગિરીરાજજીના શ્રીઅંગમાં જે જે તીથૅ બિરાજે છે તેનું વણૅન ગગૅસંહિતામાં નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે.
તીથૅ શ્રીઅંગ
૧. માનસીગંગા નેત્રરુપ છે.
૨. ચંદ્ર સરોવર નાસિકારુપ છે.
૩. ક્રુષ્ણ કુંડ દાઢીરુપ છે.
૪. ગોવિંદ કુંડ અધરરુપ છે.
૫. રાધા કુંડ જિહ્વારુપ છે.
૬. લલિતા કુંડ કપોલ રુપ છે.
૭. કુસુમ સરોવર કણૅપ્રદેશ - કાન પાસેનો ભાગ છે.
૮. ગોપ કુંડ કણૅરુપ છે.
૯. મુકુટનું ચિન્હ શ્રીગિરીરાજજીનો મુકુટ છે.
૧૦ વાજની શિલા કેડરુપ છે.
૧૧ પૂજની શિલા મુખરુપ છે.
૧૨ ચિત્રની શિલા મસ્તકરુપ છે.
૧૩ કંદુકતીથૅ કુખરુપ છે.
૧૪ ચીરઘાટ કમરરુપ છે.
૧૫ દ્રોણતીથૅ પીઠરુપ છે.
૧૬ કોકિલાવન ઉદરરુપ છે.
૧૭ કદંબખંડી હ્ર્દયરુપ છે.
૧૮ ઐરાવત કુંડ મનરુપ છે.
૧૯ શુંગાર શિલા જીવાત્મારુપ છે.
૨૦ સુરભિ ગાયનાંચરણ બે પક્ષરુપ છે.
૨૧ ઐરાવત્તનાં ચરણ ચરણરુપ છે.
૨૨ પૂંછરી ગામ પુચ્છરુપ છે.