- શ્રીગિરીરાજજીના મુખારવીંદ અથવા સુરભીકુંડે છપ્પનભોગ સ્થાને અથવા શ્રીગિરીરાજજીના કોઈપણ શિલાખંડનું પૂજન થઈ શકે.
- દરરોજ સવારે શ્રીગિરીરાજજીના મુખારવિંદે મંગળા આરતી થઈ ગયા પછી પૂજન કરી સકાય. સાંજ સુધી પૂજન થાય. ભોજન કરિયા પછી ન કરવું.
- સ્નાન કરી, શુધ્ધ વસ્ત્રો પહેરી, ચરણામુત- તિલક કરી પૂજન માટે જવું.
- સૌ પ્રથમ શ્રીમહાપ્રભુજીની બેઠકે દરશન- દંડવત કરી પુજન માટે આજ્ઞા માગવી.
પછી શ્રીશ્રીગિરીરાજજીને દંડવત કરી, પુજન માટે આજ્ઞા માગી, પુજન કરનારની લાઈનમાં શાંતિથી ઊભા રહેવું અને મનમાં અષ્ટાક્ષ્રર જપ કરવા. - પુજન માટે ગાયના શુધ્ધ અને ઉત્તમ દુધનો જ આગ્રહ રાખવો. આપણી સગવડ પ્રમાણે ધોતી-ઉપરણા, કંકુ, અત્તર, શ્રીઅંગ લુછવાન કોમળ વસ્ત્ર, ફુલ માળા, દુધઘરની સામગ્રી, દુધ, માનસીગંગાનું જળ, લોટી વગેરે સાહિત્ય લઈ જવું.
- હાથ પર ઘડીયાળ, વીંટી ન રાખવા. બંગડી પણ ઉંચી ચડાવી દેવી.
- પહેલા ઝીણી ધારે શ્રીગિરીરાજજીને જળથી સ્નાન કરાવવું પછી દુધથી અને છેલ્લે જળથી સ્નાન કરાવવું. સ્નાન કરાવતા સ્નાનનું દુધ કે જળ લઇ મોંમાં ના મુંકવુ.
- પછી કોમળ હાથે અંગવસ્ત્ર કરવું, એવી જ કોમળ રીતે અત્તર સમરપન કરી, ધોતી ઉપરણા ધરવા. પછી તિલક અને કમળપત્ર કરવાં. પુષ્પમાળા અથવા પુષ્પમાળા ધરાવવા.
- પછી ચરણસ્પશ કરવા
- હાથ ખાસા કરી, ઝારીજ ભરવી અને ભોગ ધરવા. હાથ જોડી વિનંતિ કરવી - શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઇજી, શ્રીગુરુદેવની કાનિથી ક્રુપા કરી આરોગો.પછી દંડવત કરવા.
- સમય થાય એટલે ભોગ સરાવી, તે ભોગ શ્રીમહાપ્રભુજીને ધરવો.
તે પ્રસાદ વ્રજવાસીઓ અને વૈષ્ણવોને આપ્યા પછી, કણિકા લેવો. - 'હરિદાસવય શ્રીગિરિરાજગોવધૅનાય નમઃ" મંત્રની ઓછામાં ઓછી એક માળા ફેરવવી.
Tuesday, October 28, 2008
શ્રીગિરીરાજ પૂજન
Thursday, October 2, 2008
દંડવતી શિલા
શ્રીગિરિરાજજીના મુખારવિંદથી આગળ ચાલતાં ડાબા હાથે નગારખાનાનો દરવાજો આવે છે. તેની સામે દંડવતી શિલા આવેલી છે. એમ કહેવાય છે કે શ્રીનાથજી જ્યારે ગિરિરાજથી મેવાડ પધારિયા ત્યારે આ દંડવતી શિલાની ઊંચાઈ એક માણસ જેટલી એટલે કે લગભગ સાડા પાંચ ફુટની હતી. તે અત્યારે ઘણી ઘટી ગઇ છે. જમીનમાં તે શિલા ઉતરી ગઈ હોવાથી આજુબાજુ ખાડો બનાવી તેમનાં દશૅન થાય છે. અહીથી જતા આવતા દરેક વૈષ્ણવ આ શિલાએ દંડવત કરી, જાણતા અજાણતા શ્રીગિરિરાજજીના થયેલ અપરાધની ક્ષમા માગે છે. ચાલો આપણે પણ અહી દંડવત કરી આપણી યાત્રા આગળ ધપાવીયે.Saturday, September 20, 2008
શ્રીગિરિરાજજીનું માહાત્મ્ય.
મોહનદાસ નામના શ્રીગુસાંઇજીના સેવક ગોપાલપુરામા રહેતા. ગોપાલપુરથી શ્રીગિરીરાજ ચડીને ગોવિંદકુડમાં નિત્ય ન્હાવા જતા. એક દિવસ ઉતરવાના રસ્તા ઉપર ગોબર પડ્યું હતું, તેથી તે વૈષ્ણવ બીજી બાજુ ઊતર્યા, તે શ્રીગુસાંઈજીએ જોયું અને માથું હલાવ્યું. પછી મોહનદાસે શ્રીગુસાંઇજીને દંડવત કરીને માથું હલાવવાનું કારણ પુછ્યું. શ્રી ગુસાંઇજીએ કહ્યું " તમે શ્રીગિરિરાજ ઉપર કારણ વિના ચાલો છો અને પગથી ખુંદો છો, તેથી તમે શ્રીગિરિરાજજીનું માહાત્મ્ય કંઇ જાણતા નથી." આથી આ સાંભળીને વૈષ્ણવોએ શ્રીગુસાંઇજીને શ્રીગિરિરાજજીનું માહાત્મ્ય બતાવવાની વિનંતી કરી....
શ્રી ગુસાંઇજીએ પહ્નપુરાણની કથા કહી...એક દિવસ શ્રીઠાકોરજી તથા નારદજી વનમાં ઊભા હતા. શ્રીઠાકોરજીએ નારદજીને જળ લઈ આવવાનું કહેતાં નારદજી જળ લેવા ગયા. ત્યાં સરોવર ઉપર બે ઋષિઓ તપસ્યા કરતા હતા અને સરોવર પાસે મનુષ્યનાં હાડકાનો પવૅત પડેલો હતો. તે પવૅત જોઈને નારદજી વિસ્મય પામ્યા અને જળ લીધા વિના પાછા આવી, શ્રીઠાકોરજીને આનું કારણ પૂછ્યું.
શ્રીઠાકોરજીએ કહ્યું - "એ બંને ઋષિઓ ગોવધૅન પવૅતનાં દશૅન કરવા માટે તપસ્યા કરે છે. તપ કરતાં કરતાં દેહ છોડે છે. વળી પાછા જન્મીને તપ કરે છે. આમ, કરતાં કરતાં દેહ છોડે છે ને ફરી જન્મે છે. તેમનાં શરીર છૂટવાથી હાડકાંનો પવૅત થઈ ગયો છે, તો પણ તેમને ગોવધૅન પવૅતનાં દશૅન થયાં નથી."
આ સાંભળી નારદજી વિસ્મય પામ્યા. શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી "આપણને શ્રીમહાપ્રભુજીની કાનિથી શ્રીગોવધૅન પવૅત દશૅન દે છે, આપણી ઉપર તેમની ક્રુપા વરસાવે છે. શ્રીગોવધૅન પવૅત સાક્ષાત લીલામધ્યપાતી છે. તેમની ઉપર પગ કેમ કરીને મૂકી શકાય? તેથી ભગવત્સેવાનું કાયૅ હોય તોજ ઉપર ચડવું, નહીંતર સવૅથા પગ પણ મૂકવો નહી. આ સાંભળીને મોહનદાસે પશ્ર્ચાત્તાપ કરી શ્રીગુસાંઇજી પાસે પોતાનો અપરાધ ક્ષમા કરાવ્યો અને કોઇ દિવસ શ્રીશ્રી ગોવધૅન ઉપર પગ નહી મુકવાની પ્રતિજ્ઞા લીધી. આવો આપણે પણ શ્રીગોવધૅનના મહાત્મય જાણી આવા અપરાધો નહિ કરવાની પ્રતિજ્ઞા લઈએ....જય જય શ્રી ગોવધૅનનાથજી....
શ્રી ગુસાંઇજીએ પહ્નપુરાણની કથા કહી...એક દિવસ શ્રીઠાકોરજી તથા નારદજી વનમાં ઊભા હતા. શ્રીઠાકોરજીએ નારદજીને જળ લઈ આવવાનું કહેતાં નારદજી જળ લેવા ગયા. ત્યાં સરોવર ઉપર બે ઋષિઓ તપસ્યા કરતા હતા અને સરોવર પાસે મનુષ્યનાં હાડકાનો પવૅત પડેલો હતો. તે પવૅત જોઈને નારદજી વિસ્મય પામ્યા અને જળ લીધા વિના પાછા આવી, શ્રીઠાકોરજીને આનું કારણ પૂછ્યું.
શ્રીઠાકોરજીએ કહ્યું - "એ બંને ઋષિઓ ગોવધૅન પવૅતનાં દશૅન કરવા માટે તપસ્યા કરે છે. તપ કરતાં કરતાં દેહ છોડે છે. વળી પાછા જન્મીને તપ કરે છે. આમ, કરતાં કરતાં દેહ છોડે છે ને ફરી જન્મે છે. તેમનાં શરીર છૂટવાથી હાડકાંનો પવૅત થઈ ગયો છે, તો પણ તેમને ગોવધૅન પવૅતનાં દશૅન થયાં નથી."
આ સાંભળી નારદજી વિસ્મય પામ્યા. શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી "આપણને શ્રીમહાપ્રભુજીની કાનિથી શ્રીગોવધૅન પવૅત દશૅન દે છે, આપણી ઉપર તેમની ક્રુપા વરસાવે છે. શ્રીગોવધૅન પવૅત સાક્ષાત લીલામધ્યપાતી છે. તેમની ઉપર પગ કેમ કરીને મૂકી શકાય? તેથી ભગવત્સેવાનું કાયૅ હોય તોજ ઉપર ચડવું, નહીંતર સવૅથા પગ પણ મૂકવો નહી. આ સાંભળીને મોહનદાસે પશ્ર્ચાત્તાપ કરી શ્રીગુસાંઇજી પાસે પોતાનો અપરાધ ક્ષમા કરાવ્યો અને કોઇ દિવસ શ્રીશ્રી ગોવધૅન ઉપર પગ નહી મુકવાની પ્રતિજ્ઞા લીધી. આવો આપણે પણ શ્રીગોવધૅનના મહાત્મય જાણી આવા અપરાધો નહિ કરવાની પ્રતિજ્ઞા લઈએ....જય જય શ્રી ગોવધૅનનાથજી....
શ્રીગિરીરાજજીના શ્રીઅંગમાં બિરાજતા તીથૅ
શ્રીગિરીરાજજીના શ્રીઅંગમાં જે જે તીથૅ બિરાજે છે તેનું વણૅન ગગૅસંહિતામાં નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે.
તીથૅ શ્રીઅંગ
૧. માનસીગંગા નેત્રરુપ છે.
૨. ચંદ્ર સરોવર નાસિકારુપ છે.
૩. ક્રુષ્ણ કુંડ દાઢીરુપ છે.
૪. ગોવિંદ કુંડ અધરરુપ છે.
૫. રાધા કુંડ જિહ્વારુપ છે.
૬. લલિતા કુંડ કપોલ રુપ છે.
૭. કુસુમ સરોવર કણૅપ્રદેશ - કાન પાસેનો ભાગ છે.
૮. ગોપ કુંડ કણૅરુપ છે.
૯. મુકુટનું ચિન્હ શ્રીગિરીરાજજીનો મુકુટ છે.
૧૦ વાજની શિલા કેડરુપ છે.
૧૧ પૂજની શિલા મુખરુપ છે.
૧૨ ચિત્રની શિલા મસ્તકરુપ છે.
૧૩ કંદુકતીથૅ કુખરુપ છે.
૧૪ ચીરઘાટ કમરરુપ છે.
૧૫ દ્રોણતીથૅ પીઠરુપ છે.
૧૬ કોકિલાવન ઉદરરુપ છે.
૧૭ કદંબખંડી હ્ર્દયરુપ છે.
૧૮ ઐરાવત કુંડ મનરુપ છે.
૧૯ શુંગાર શિલા જીવાત્મારુપ છે.
૨૦ સુરભિ ગાયનાંચરણ બે પક્ષરુપ છે.
૨૧ ઐરાવત્તનાં ચરણ ચરણરુપ છે.
૨૨ પૂંછરી ગામ પુચ્છરુપ છે.
તીથૅ શ્રીઅંગ
૧. માનસીગંગા નેત્રરુપ છે.
૨. ચંદ્ર સરોવર નાસિકારુપ છે.
૩. ક્રુષ્ણ કુંડ દાઢીરુપ છે.
૪. ગોવિંદ કુંડ અધરરુપ છે.
૫. રાધા કુંડ જિહ્વારુપ છે.
૬. લલિતા કુંડ કપોલ રુપ છે.
૭. કુસુમ સરોવર કણૅપ્રદેશ - કાન પાસેનો ભાગ છે.
૮. ગોપ કુંડ કણૅરુપ છે.
૯. મુકુટનું ચિન્હ શ્રીગિરીરાજજીનો મુકુટ છે.
૧૦ વાજની શિલા કેડરુપ છે.
૧૧ પૂજની શિલા મુખરુપ છે.
૧૨ ચિત્રની શિલા મસ્તકરુપ છે.
૧૩ કંદુકતીથૅ કુખરુપ છે.
૧૪ ચીરઘાટ કમરરુપ છે.
૧૫ દ્રોણતીથૅ પીઠરુપ છે.
૧૬ કોકિલાવન ઉદરરુપ છે.
૧૭ કદંબખંડી હ્ર્દયરુપ છે.
૧૮ ઐરાવત કુંડ મનરુપ છે.
૧૯ શુંગાર શિલા જીવાત્મારુપ છે.
૨૦ સુરભિ ગાયનાંચરણ બે પક્ષરુપ છે.
૨૧ ઐરાવત્તનાં ચરણ ચરણરુપ છે.
૨૨ પૂંછરી ગામ પુચ્છરુપ છે.
Monday, August 11, 2008
શ્રીગોવધૅન ગિરિરાજજીની તળેટીમાં રહીએ.
તરહટી શ્રીગોવધૅન કી રહિયે,
નિતપ્રતિ શ્રીમદનમોહનલાલ કે ચરનકમ ચીત્ત લહિયે,
તન પુલકિત બ્રજરજમેં લોટત ગોવિંદકુંડ મેં ન્હાઇયે.
"રસિક" પ્રીતમ હિત ચિત કી બાતેં શ્રીગિરિધારીજી સોં કહિયે.
પદનો ભાવાથૅ -
શ્રીગોવધૅન ગિરિરાજજીની તળેટીમાં રહીએ.
તળેટીમા રહેવાનાં બે કારણ્ (૧) શિખર પર પહોંચનારને અભિમાન થાય. પવૅત ન ચડી શક્વાથી તળેટીમાં રહેનારને દીનતા રહે. શ્રીગોવધૅન એટલે ભક્તિનો પવૅત. ભક્તિમાં દીનતા જોઇએ, અભિમાન ન ચાલે. (૨) તળેટી એટલે શ્રીગિરિરાજબાવાનાં ચરણકમળ અને તેમાં સોળ દિવ્ય ચિન્હો. તેઓ ભક્તને અલૌકિક સિધ્ધિઓ આપે.
ત્યાં કેવી રીતે રહેવાનું ? શું કરવાનું ? જવાબ છે -
દરરોજ શ્રી મદનમોહનલાલ પ્રભુનાં ચરણકમળમાં મ ચોંટાડવાનું - મન એકાગ્ર કરવાનું.
દુનિયામાં રખડતા-ભટક્તા મનન શ્રીઠાકોરજીનાં ચરણો રુપી ખીલે બાંધવાનું. શ્રીજીની લીલાઓનું ચિંતન કરવાનું. જગતને ભુલી મન શ્રીઠાકોરજીમાં જોડવાનું - આ મનનો નિરોધ.
બીજું શું કરવાનું ?
ત્યાંની વ્રજરજમાં આળોટવાનું અને ગોવિંદકુંડમાં ન્હાવાનું. વ્રજરજમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજી ફરે છે. તેમનાં ચરણોના સ્પશૅથી, વ્રજરજ પણ સાક્ષાત શ્રીઠાકોરજીનું સ્વરુપ બની ગઈ છે, તે આપણા શરીરે લાગેતો આપણું શરીર દિવ્ય બને. દિવ્ય શરીરથી જ શ્રી ઠાકોરજીનાં સાક્ષાત દશૅન થાય. આથી વ્રજરજમાં લોટવાથી શરીરના રોમરોમમાં આનંદ થાય. વ્રજરજસ્વરુપે શ્રીઠાકોરજીને ભેટવાનો આનંદ મળે. ગોવિંદકુંડના જળથી ઇંન્દ્રએ શ્રીક્રુષ્ણનો અભિષેક કરેલો. ગોવિંદસ્વામિએ શ્રીનાથજીને તેમાં સ્નાન કરાવેલું. શ્રીમહાપ્રભુજી અને શ્રી ગુસાંઇજી પણ તેમાં સ્નાન કરતા. એ સૌના સ્નાનનું જળ-ચરણામ્રુત છે. તે લેવાથી તન અને મન અલૌકિક બને. આશ્રય દઢ થાય. આ શરીરનો નિરોધ.
ત્રીજું શું કરવાનું ?
શ્રીહરિરાયજી (રસિક) કહે છે - આપણા પ્રિયતમ પ્રભુ શ્રીગોવધૅનનાથજી સાથે તમને સુખ થાય તેવી પ્રમભરી વાતો કરીએ. આ વાણીનો નિરોધ.
મન - શરીર અને વાણીનો નિરોધ કરતાં, દાસભાવ અને દિનતા દઢ કરવા
શ્રીગિરિરાજજીના તળેટીમાં રહેવાનો આપણે મનોરથ કરીએ.
નિતપ્રતિ શ્રીમદનમોહનલાલ કે ચરનકમ ચીત્ત લહિયે,
તન પુલકિત બ્રજરજમેં લોટત ગોવિંદકુંડ મેં ન્હાઇયે.
"રસિક" પ્રીતમ હિત ચિત કી બાતેં શ્રીગિરિધારીજી સોં કહિયે.
પદનો ભાવાથૅ -
શ્રીગોવધૅન ગિરિરાજજીની તળેટીમાં રહીએ.
તળેટીમા રહેવાનાં બે કારણ્ (૧) શિખર પર પહોંચનારને અભિમાન થાય. પવૅત ન ચડી શક્વાથી તળેટીમાં રહેનારને દીનતા રહે. શ્રીગોવધૅન એટલે ભક્તિનો પવૅત. ભક્તિમાં દીનતા જોઇએ, અભિમાન ન ચાલે. (૨) તળેટી એટલે શ્રીગિરિરાજબાવાનાં ચરણકમળ અને તેમાં સોળ દિવ્ય ચિન્હો. તેઓ ભક્તને અલૌકિક સિધ્ધિઓ આપે.
ત્યાં કેવી રીતે રહેવાનું ? શું કરવાનું ? જવાબ છે -
દરરોજ શ્રી મદનમોહનલાલ પ્રભુનાં ચરણકમળમાં મ ચોંટાડવાનું - મન એકાગ્ર કરવાનું.
દુનિયામાં રખડતા-ભટક્તા મનન શ્રીઠાકોરજીનાં ચરણો રુપી ખીલે બાંધવાનું. શ્રીજીની લીલાઓનું ચિંતન કરવાનું. જગતને ભુલી મન શ્રીઠાકોરજીમાં જોડવાનું - આ મનનો નિરોધ.
બીજું શું કરવાનું ?
ત્યાંની વ્રજરજમાં આળોટવાનું અને ગોવિંદકુંડમાં ન્હાવાનું. વ્રજરજમાં શ્રીઠાકોરજી અને શ્રીસ્વામિનીજી ફરે છે. તેમનાં ચરણોના સ્પશૅથી, વ્રજરજ પણ સાક્ષાત શ્રીઠાકોરજીનું સ્વરુપ બની ગઈ છે, તે આપણા શરીરે લાગેતો આપણું શરીર દિવ્ય બને. દિવ્ય શરીરથી જ શ્રી ઠાકોરજીનાં સાક્ષાત દશૅન થાય. આથી વ્રજરજમાં લોટવાથી શરીરના રોમરોમમાં આનંદ થાય. વ્રજરજસ્વરુપે શ્રીઠાકોરજીને ભેટવાનો આનંદ મળે. ગોવિંદકુંડના જળથી ઇંન્દ્રએ શ્રીક્રુષ્ણનો અભિષેક કરેલો. ગોવિંદસ્વામિએ શ્રીનાથજીને તેમાં સ્નાન કરાવેલું. શ્રીમહાપ્રભુજી અને શ્રી ગુસાંઇજી પણ તેમાં સ્નાન કરતા. એ સૌના સ્નાનનું જળ-ચરણામ્રુત છે. તે લેવાથી તન અને મન અલૌકિક બને. આશ્રય દઢ થાય. આ શરીરનો નિરોધ.
ત્રીજું શું કરવાનું ?
શ્રીહરિરાયજી (રસિક) કહે છે - આપણા પ્રિયતમ પ્રભુ શ્રીગોવધૅનનાથજી સાથે તમને સુખ થાય તેવી પ્રમભરી વાતો કરીએ. આ વાણીનો નિરોધ.
મન - શરીર અને વાણીનો નિરોધ કરતાં, દાસભાવ અને દિનતા દઢ કરવા
શ્રીગિરિરાજજીના તળેટીમાં રહેવાનો આપણે મનોરથ કરીએ.
Wednesday, August 6, 2008
શ્રી ગિરિરાજજીનો પ્રકટ પ્રતાપ
(૧) એક વૈષ્ણવને વ્રજમાં બાવળની મોટી સૂળ (કાંટૉ) ચંપલમાં ઘૂસી, આરપાર પગના તળિયામાં ઘૂસી ગઈ. રાતે પગ ખુબજ સૂજી ગયો. ઉભા રહેવાય નહી. ખુબ પીડા થાય. સવારે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાની હતી. સાથેના વૈષ્ણવોએ સલાહ આપી, તમે આરામ કરો. તેમને વિરહતાપ થયો. બે જણના ખભે ટેકો લઈ પરાણે શ્રીગિરિરાજજી સન્મુખ પહોંચ્યા. દંડવત કરીયા. પીડા ઓછી થઈ. પરિક્રમા કરવા નીકળ્યા. બધા આગળ ગયાં. તેઓ ધીમે ધીમે પાછળ પાછળ ચાલે. શ્રી ગિરિરાજજીની એવી કૃપા થઈ કે સૌથી પહેલાં તેમની પરિક્રમા પૂરી થઈ
(૨) પૂ.ગો.શ્રી ઇન્દિરાબેટીજીનો અનુભવ છે. તેઓ સાત-આઠ વષૅનાં હતાં. તેમના દાદાજીની વ્રજપરિક્રમામાં તેમનાં માતાજી સાથે ગયેલા. જતિપુરામાં યાત્રાનો મુકામ હ્તો. બાલચેષ્ટામાં કુકા રમવા શ્રીગિરિરાજજીના નાના નાના શિલાખંડો ભેગા કરી, ફ્રોકના ખિસ્સામાં મુકેલા. રાત્રે મુશળધાર વરસાદ થયો. શ્રીગિરિરાજજીના અપરાધનો પ્રકોપ હતો. તેઑ ના માતાશ્રીને ખબર થતા. તેઓશ્રીએ આજ્ઞાથી શ્રીગિરિરાજજી પાછા પધરાવી દીધા. તેમની ક્ષમા માગી. ત્યારથી પુ. જીજીને શ્રીગિરિરાજજી ઉપર અનહદ ભાવ જાગ્યો.
(૨) પૂ.ગો.શ્રી ઇન્દિરાબેટીજીનો અનુભવ છે. તેઓ સાત-આઠ વષૅનાં હતાં. તેમના દાદાજીની વ્રજપરિક્રમામાં તેમનાં માતાજી સાથે ગયેલા. જતિપુરામાં યાત્રાનો મુકામ હ્તો. બાલચેષ્ટામાં કુકા રમવા શ્રીગિરિરાજજીના નાના નાના શિલાખંડો ભેગા કરી, ફ્રોકના ખિસ્સામાં મુકેલા. રાત્રે મુશળધાર વરસાદ થયો. શ્રીગિરિરાજજીના અપરાધનો પ્રકોપ હતો. તેઑ ના માતાશ્રીને ખબર થતા. તેઓશ્રીએ આજ્ઞાથી શ્રીગિરિરાજજી પાછા પધરાવી દીધા. તેમની ક્ષમા માગી. ત્યારથી પુ. જીજીને શ્રીગિરિરાજજી ઉપર અનહદ ભાવ જાગ્યો.
Tuesday, August 5, 2008
શ્રી ગિરીરાજજીનાં આઠ દ્વાર - આઠ સખા.
- બિલછું કુંડ - શ્યામ તમાલના વૃક્ષ નીચે - ક્રુષ્ણદાસજી
- માનસી ગંગા - પીપળના વૃક્ષ નીચે - નંદદાસજી
- ચંદ્રસરોવર - પરસોલી - સૂરદાસજી
- આન્યોર - સદુપાંડેનું ઘર - કુંભનદાસજી
- અપ્સરા કુંડ - શ્યામ તમાલના વૃક્ષ નીચે - છીતસ્વામી
- સુરભિ કુંડ - શ્યામ તમાલના વૃક્ષ નીચે - પરમાનંદદાસજી
- ઐરાવત કુંડ - ગોવિંદસ્વામીની કદંબખંડી - ગોવિંદસ્વામી
- રુદ્ર કુંડ - આંબલી ના વૃક્ષ નીચે - ચતુભુજદાસજી
Subscribe to:
Comments (Atom)